
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના કોપીરાઇટ વિભાગમાં છેલ્લા આઠ મહિનાથી એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૧૦થી ઈ.સ. ૧૯૦૦ પહેલાના અને જુના પુસ્તકોનું ડીજીટલાઝેશન શરૂ થયું છે.ઈ.સ. ૧૯૦૦ પહેલામાં પ્રકાશિત પુસ્તક" વીદીઆ" નાથી આરંભ કરાયો ડીજીટલાઝેશન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જુના પુસ્તકોને આવનારી સદી સુધી સાચવી રાખવાનો છે.ઈ.સ. ૧૯૦૦ વર્ષ પહેલાના પુસ્તકો
ખુબ જર્જરિત થઈ ગયા હોવાથી તેનો ઉપયોગ થઈ શકે એમ ન હોવાથી તેને સ્કેન કરી લેવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી દુર્લભ સાહિત્ય સાચવી શકાય.
ઈ.સ.૧૮૬૭માં મુદ્રણ અને પુસ્તકનોધણી અસ્તિત્વમાં આવ્યું આ સર્વે અધિનિયમ બ્રિટીશ હિન્દીમાં પ્રકાશિત થતા સર્વે પુસ્તકોનું અને ચોપાનીયાને સામાયિકોની નક્કી કરેલ નકલો બ્રિટીશ સરકાર ત્યાં મોકલવાનું થયું આ અધિનિયમ આવતા કોપીરાઇટ લાઈબ્રેરીઅસ્તિત્વમાં આવી. ઈ.સ.૧૮૬૭નાં વર્ષથીગુજરાતી ભાષાનો કોપીરાઇટ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠમાં શરૂ કરાયો. આ વિભાગ ઈ.સ.૧૮૬૭માં ગુજરાતી સાહિત્ય પણ જાળવે છે.
ડીજીટલાઝેશન એટલે શું ?-
કોઈ પણ પ્રકારની માહિતી ને તેના મુળભુત સ્વરૂપ ( પેપર,અવાજ,ટેક્ષસ્ટ,વિડીયો)માંથી કોમ્પ્યુટર સમજી શકે તેવા સ્વરૂપમાં ફેરવાની પ્રકિયાને ડીજીટલાઝેશન તરીકે ઓળખવામાં આવે છે.
પૂસ્તકોનું ડીજીટલાઝેશનની પ્રક્રિયા શરૂ કરાયાથી સપ્ટેમ્બર, ૨૦૧૦ સુધીમાં ૧૧,૭૨૮ પુસ્તકોનું સ્કેનીંગ થયું છે. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ zeutsheion 5000 સ્કેનર મશીનમાં પુસ્તકના દરેક પાનાને સ્કેન કરાવામાં આવે છે.એક પેજને સ્કેન થતા ૨ સેકન્ડ લાગે છે,આ કામ સમય માંગી લે છે. વાંરવાર પેજ સેટપઅપ કરવાની જરૂર પડે છે . તારીખ મુજબ otiff ફોલ્ડરમાં સ્કેન થયેલા પાના સેવા થાય છે. તેમાં સુધારા -વધારા(એડિટ) કરવામાં આવે છે.સ્કેન થયેલા પાના કે પુસ્તકો મેટાડેટા નામના ફોલ્ડરમાં સેવ બને છે. આ ફોલ્ડરમાં પુસ્તકનું શીર્ષક ,લેખકનું નામ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.પાના સુધારા -વધારા(એડિટ) થયા પછી PDF ફાયલમાં સેવ થાય છે. આમ ૭૦ લાખ પાનાઓનું ડીજીટલાઝેશન કરવાનું ચાલુ છે,તેથી ઈ.સ. ૧૯૦૦ પહેલાના પુસ્તકનું સંશોધન અને અભ્યાસ કરવો સરળ બની જશે.