Friday, March 19, 2010

શ્રી જક્ષણી માતાજીનું પવિત્ર સ્થાન

શ્રી જક્ષણી માતાજીનું પવિત્ર સ્થાન સાબરમતી નદીના તટ પર આવેલ સાદરા ગામની શોભા સમું છે. આ સ્થાનની આજુબાજુ નાની મોટી ટેકરીઓની હારમાળા છે અને નદીનાં સાંનિઘ્યમાં જ આ દેવળ આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દૃષ્ટિએ અતિ રમ્ય લાગે છે. અમદાવાદના ગર્ભ શ્રીમંત સર ચીનુભાઇ બેરોનેટના પિતા માધવલાલએ સંવત ૧૯૫૦માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી આ વિશાળ મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યાં હતાં.
શ્રી જક્ષણી માતાજી વિશે દંતકથા પ્રચલિત છે તેના આધારે તારવી શકાય કે તેમના પિતા વાઘાજી ઝાલા કાઠિયાવાડમાં આવેલા ધ્રાંગધ્રા નજીક કંકાવટીના ઠાકોર હતા અને મહાશકિત દુર્ગાના પરમ ભકત હતા. આ રાજવીના ઉત્તમ સંસ્કારો એમનાં સંતાનોમાં તર્યા હતાં.
અડપોદરા અને સાદરામાં અત્યારે પૂજાય છે તે આવા મહાશકિતના પરમ ભકત અને વીર પિતા વાઘોજીના પુત્ર અને પુત્રી છે. સાદરાના આ શકિત-સ્વરૂપ જક્ષણી માતા હાજરાહજૂર છે અને એમના પ્રભાવની ને ચમત્કારોની અનેક વાતો સદીઓથી પ્રચલિત છે. લોકોની શ્રદ્ધા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ માતાજીનાં પ્રત્યક્ષ દર્શન તો દુર્લભ થઇ પડે છે પરંતુ એમ કહેવાય છે કે માતાજીએ જયારે એક ભકતને સ્વપ્ન આપ્યું અને પોતાને આ સ્થળે સ્થાપવા આદેશ આપ્યો ત્યાર પછી તો નવરાત્રિની રાત્રે આકાશમાં માતાજીનો રથ ફરતો હોવાની, રાત્રિના સમયે સાબરમતી આરે જળ ઉપર સરખી સહેલીઓ એવી અન્ય શકિતદેવીઓ સાથે ગરબે ઘૂમવાનો અને એવા બીજા કેટલાયે ચમત્કારો નજરોનજર જોયા હોવાનો દાવો ગામલોકો કરે છે.
નવરાત્રિની આઠમને દિવસે રાત્રે બાર વાગ્યાની જક્ષણી માની આરતી થયા પછી સાબરમતીના પાણીની અઘ્ધર ફરતા ગરબીના દીવા નજરે પડે છે. નોરતાની આઠમની રાત એટલે સાદરામાં જક્ષણી માતાના આઠ દિવસના ઉપવાસની પૂણાર્હુતિ રાતના બારના ટકોરે માની આરતી પૂરી થાય એટલે હજારો ભાવિક ભકતોની હાજરીમાં ‘જક્ષણી માતા કી જય’ના ગગનભેદી નારા સાથે ‘ઘટમંડપ’માંથી જવારા સાથેના ઘડા ઉપાડીને નદી પર લઇ જવાના અને વહેતા પધરાવી એ ઘડામાં ચોખ્ખું પાણી ભરવાનું અને એ ઘડો માથે યા ખભે મૂકીને સૌ-સૌના ધેર જવાનું પછી નવ નૈવેધનો પ્રસાદ વાપરવાનો.
સાદરા જક્ષણીના ધામમાં પૂનમના દિવસે પ્રસાદની યોજના કરવામાં આવી હતી. દર પૂનમે ત્રણથી ચાર હજાર જેટલા ભાવિક ભકતો આવે છે. ત્યાં રહેવા માટે રૂમો પણ છે. ભાદરવા મહિનાના મહિનાના બીજા રવિવારે સાદરામાં મેળો ભરાય છે. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે અમદાવાદથી સાદરા ચાલતો સંઘ પહોંચે છે.
સાદરાના જક્ષણીમાતાજીના મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૃ. બે કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જ્યારે તેની સામે માત્ર રૃ. ૬૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ બાકીની ગ્રાન્ટ ન ફાળવાતા સ્ટ્રીટ લાઈટ, દરવાજો, આયુર્વેદિક ઉદ્યાન, બે ઝુલતા પુલ, સોલર લાઈટ જેવા કાર્યો રખડયા છે. જેથી પ્રવાસન ધામની બાકીની ગ્રાન્ટ તાકીદે ફાળવવા માટે સરપંચે કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે.
ગાંધીનગર જિલ્લાના સાદરા ગામે આવેલા વર્ષોપુરાણા જક્ષણીમાતાજીના મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાનું જિલ્લા તંત્રે જાહેર કર્યું છે. જે અન્વયે યાત્રાધામના વિકાસ અર્થે રૃ. બે કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રાન્ટની રકમમાંથી સીસી રોડ, સ્ટ્રીટલાઈટ, સોલર લાઈટ, કમ્પાઉન્ડ વોલ, બે ઝુલતા પુલ, આયુર્વેદિક ઉદ્યાન, પ્રવેશ દ્વારો સહિતના કામોને હાથ ધરવામાં આવનાર છે.
જક્ષણી માતાજીના મંદિરને પ્રવાસન ધામ જાહેર કર્યાને દસેક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં તેની ગ્રાન્ટ ફાળવવામાં તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે. જેને પરિણામે વિવિધ વિકાસલક્ષી કામકાજો ખોરંભે પડયા છે. અલબત્ત જક્ષણી માતાજીના મંદિરને પ્રવાસધામ તરીકે વિકસાવવા માટે જાહેર કરેલી રૃ. બે કરોડ જેટલી ગ્રાન્ટમાંથી માત્રને માત્ર રૃ. ૬૦ લાખ જ રકમને ફાળવવામાં આવી છે એમ સાદરા ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમસિંહે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની રૃ. ૧.૪૦ કરોડ જેટલી ગ્રાન્ટ બાકી રહેતા મંદિરના પ્રવેશદ્વારો, સ્ટ્રીટલાઈટો, બે ઝુલતા પુલો, વન વિભાગ ખાતા દ્વારા આયુર્વેદિક ઉદ્યાનનું નિર્માણ, સોલર લાઈટો તથા કમ્પાઉન્ડ વોલ જેવા કાર્યો ખોરંભે પડયા છે. જેને પગલે મંદિરના દર્શને આવતાં લાખો દર્શનાર્થીઓ અધુરા કામકાજને પગલે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી પ્રવાસન ધામની ગ્રાન્ટ સમયસર ફાળવવા માટે ગ્રામજનોએ ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહની સમક્ષ રજૂઆત કરી માંગણી કરી હતી.
ગ્રામજનોની તથા સરપંચની રજૂઆતને પગલે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તથા સાદરા ગ્રામ પંચાયતના સરપંચે સંયુક્ત રીતે કલેકટરને લેખિતમાં માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા તંત્ર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. પરંતુ નાણાંકીય વર્ષના છેલ્લા માસે ગ્રાન્ટ ફાળવીને પોતાની કામગીરી કર્યાનો તંત્ર સંતોષ માનશે. પરંતુ જનાથી કામગીરીમાં પારાવાર મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી સમયસર ગ્રાન્ટ ફાળવવા ગ્રામજનોની માંગ છે.

નકસલવાદ

નકસલવાદ
નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ. આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવું તે આપણા સમાજ અને આપણી સરકારની આદત છે. ભારતમાં નકસલવાદનો જન્મ ૧૯૬૯માં થયો અને ૧૯૮૦થી તો આ ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તિઓ ઝારખંડ, ઓરિસ્સા, મઘ્યપ્રદેશમાં જૉરશોરથી ચાલવા લાગી. પણ ડુંગરાળ, જંગલછાયા વિસ્તારમાં, ગરીબ આદિવાસીઓ અને ગામડાઓની સમસ્યા પર કોઇએ ઘ્યાન આપ્યું નહીં. ૨૦૦૬માં વડાપ્રધાન મનમોહનસિંધે નકસલવાદી સંસ્થાઓને ભારતની સૌથી મોટી અને સૌથી ઘાતક સમસ્યા ગણાવી. નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ. પણ આજે આ વિસ્તારમાં નકસલવાદનું નામોનિશાન રહ્યુંં નથી. જમીનદારી નાબૂદીના સરકારી કાયદાને ઘોળીને પી જનારા જમીનદારો (જૉતેદારો)ની જુલમગારી સામે ખેતમૂજરો અને ગણોતિયાઓની સશસ્ત્ર બળવાખોરીની આગેવાની માકર્સવાદી પક્ષના આગેવાનો- કનુ સંન્યાલ અને ચારૂ મઝુમદારે લીધી (૧૯૬૯), આ બંને પકડાયા, જેલમાં ધકેલાયા અને ગુજરી ગયાં. પણ ગરીબોને ત્રાસ આપનાર શ્રીમંતો, જંગલનાં ઠેકેદારો અને સરકારી તંત્ર-ખાસ કરીને પોલીસો સામેની આ જેહાદ આંધ્રમાં, બિહારમાં, ઓરિસ્સામાં ફેલાવા લાગી. અત્યારે ઝારખંડ છે તે વિસ્તારમાં પગ જમાવીને નકસલવાદી જૂથો ચોતરફ ફેલાવા લાગ્યા અને આજે નેપાળની સરહદથી માંડીને કણાટર્ક સુધીનાં આઠ રાજયો-બિહાર, ઉત્તરપ્રદેશ, બંગાળ, ઓરિસ્સા, આંધ્ર, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને ઝારખંડમાં નકસલવાદીઓની રાડ લાગે છે.ભારતના અડધો અડધ જિલ્લાઓમાં આ જૂથો ઓછા વધતાં અંશે સક્રિય છે. તાજેતરમાં લાલગઢના નકસલવાદી આગેવાને કહ્યું તેમ બંગાળના ૫,૦૦૦ ગામડાંમાં ભારત સરકારનું નહીં પણ નકસલીઓનું રાજ ચાલે છે. ઝારખંડ, ઓરિસ્સામાં તો અસંખ્ય ગામડાંઓ તેમનાં તાબામાં છે. નકસલવાદીઓની ફોજી તાકાતના આંકડા કોઇ પાસે નથી પણ તેમની પાસે ૧૫,૦૦૦ કેળવાયેલા સ્વયંસેવકો છે. આધુનિક શસ્ત્રો છે. એક જમાનામાં નિવૃત્ત અફસરો તેમને લશ્કરી તાલીમ આપતા હતા. હવે તો અમારા નિષ્ણાતો હોવાથી અમારે કોઇની જરૂર નથી. તેવું ગયા અઠવાડિયે ઝારખંડના આગેવાને કહ્યુંં છે. જંગલમાં, ગામડાંમાં વેરવિખેર પથરાયેલાં પોલીસ થાણાંઓ પર દરોડા પાડીને નકસલીઓ હથિયારો લૂંટી જાય છે. પોલીસે પકડેલા સાથીઓને છોડાવવા માટે જેલ પર હલ્લાઓ કરવામાં આવે છે. શહેરી અને શ્રીમંત વર્ગના લોકો, સરકાર અને પોલીસોના ત્રાસથી પરેશાન શોષિત વર્ગ નકસલવાદનાં મજબૂત ટેકેદારો છે. બંગાળ સરકારે લાલગઢ વિસ્તારમાં તેમની સામે લડવાનો પ્રયાસ કર્યોપણ પોલીસોએ માર ખાઇને પાછા હઠવું પડયું. ભારત સરકાર સફાળી જાગી ઊઠી છે. અને રાજયોના ચુનંદા પોલીસો, કેન્દ્ર સરકારના અનામત પોલીસ દળ, સરહદ સુરક્ષા દળ અને કમાન્ડો આ બધા મળીને કુલ ૬૦,૦૦૦ને ખાસ તાલીમ આપીને નકસલવાદના સમૂળા ઉરછેદ માટેનું અભિયાન શરૂ થયું છે, પણ લશ્કર વાપરવામાં નહીં આવે અને પોલીસ દળોને લઇ જનાર લશ્કરી વિમાનો-હેલિકોપ્ટરો પર હલ્લો ન થાય ત્યાં સુધી હવાઇ દળ પોતાના હથિયાર નહીં વાપરે. આ પોલીસ દળ ગોઠવાઇ રાા છે અને નકસલવાદીઓને ચોતરફથી ધેરી લઇને ભીંસી નાખવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. શસ્ત્રો મૂકીને શરણે આવી જાવ અથવા ખતમ થવા માટે તૈયાર રહો તેવી ચેતવણી ગૃહમંત્રી ચિદમ્બરમે તેમની આપી છે. જીવ સટોસટની આ લડાઇમાં નકસલવાદીઓએ પહેલો ઘા સવા લાખનો ગણીને હલ્લો શરૂ કર્યોછે. ઓરિસ્સામાં, ઝારખંડમાં અને છેલ્લે મહારાષ્ટ્રના ગઢચીરોળી વિસ્તારમાં સંખ્યાબંધ પોલીસોનાં ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. ભારત સરકારની લશ્કરી તાકાત સામે નકસલવાદીઓ કેટલો વખત ઝીંક ઝીલી શકશે તે કહેવાનું મુશ્કેલ છે પણ આ વેરાન અને વંકા વિસ્તારમાંથી નકસલવાદીઓનો પગ ઉખેડી નાખવાનું કામ સહેલું નથી. સરખામણી કરીએ તે ગેરવાજબી કહેવાય પણ ૧૯૪૮માં આંધ્રના તેલંગાણા વિસ્તારમાં બી.ટી. રણદીવેની આગેવાની તળે સામ્યવાદીઓએ સમાંતર સરકાર સ્થાપીને ૨,૦૦૦ ગામડાં પર રાજ ચલાવેલું. તેમને ઉખેડી કાઢવા માટે લશ્કર વાપરવું પડેલું અને આ વિસ્તારમાં દોઢ વરસ લશ્કરી રાજ સ્થાપવું પડયું હતું. આજની પરિસ્થિતિ વધારે ખરાબ છે. નકસલવાદીઓ સરકાર સામે લડે છે. પોલીસો અને સરકારી અમલદારોને ધુત્કારી કાઢે છે. હથિયાર વાપરે છે. શ્રીમંતોને લૂંટે છે. પોલીસ ખબરીયા હોય તેવા આદિવાસીઓને વીણી વીણીને મારી નાખે છે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. લુંટફાટ ચલાવે છે, જેલો તોડે છે. આ બધું ખરું છે, પણ નકસલવાદીઓ સામાન્ય ચોર કે લુંટારા નથી. પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજાને રંજાડનાર ડાકુ કે બહારવટિયા નથી. તેમના તમામ આગેવાનો સુશિક્ષિત છે. દા. વિનાયક સેન જેવા લોકસેવકો તેમના પ્રશંસકો છે. ઘણા ખરાં નકસલી આગેવાનો- કોલાડ ગાંધી અને તેમનાં સ્વર્ગસ્થ પત્ની અનુરાધાબહેન કુટુંબની શ્રીમંતાઇને લાત મારીને આ પંથમાં જૉડાયા છે અને ગરીબ, અશિક્ષિત લોકોને સરકારી અને પોલીસ ત્રાસ ભોગવવો પડે છે તેનાં વિરોધમાં જેહાદ ચલાવે છે. આ વિસ્તારોમાંથી અન્યાય, શોષણખોરી અને ઉજળિયાતોનો ત્રાસ ઓછો ન થાય ત્યાં સુધી નકસલવાદને જડમૂળથી ઉખેડી શકાય તે અસંભવ છે. અત્યારના નકસલીઓ અને તેમની લશ્કરી ટુકડીઓને ખતમ કરી નાખવાનું અઘરું નથી પણ અન્યાય નિવારણ ન થાય તો થોડા સમયાંતરે, ઓછા વધતા પ્રમાણમાં એક યા બીજા રૂપે હિંસાખોર વિરોધ પેદા થયાં સિવાય રહેવાનો નથી.